અમારા વિષે
/

શાશ્વત જ્ઞાનથી પ્રેરિત
તમારા બાળક માટે ઉજ્જ્વળ આવતીકાલનું નિર્માણ
શિક્ષાધામમાં, અમે પરંપરાગત ગુરુકુલ મૂલ્યોને આધુનિક શિક્ષણ સાથે એકત્રિત કરીએ છીએ અને દરેક બાળકને જ્ઞાન, અનુશાસન અને આધ્યાત્મિક આધાર સાથે પોષણ આપીએ છીએ. અમારું ધ્યેય એવું સ્વસ્થ અને સર્વાંગી વિકાસ પામેલું વ્યક્તિત્વ ઘડવાનું છે, જે ઉજ્જ્વળ ભવિષ્ય માટે તૈયાર હોય.
- સર્વાંગી શિક્ષણનું પર્યાવરણ
- ગુરુકુલ પરંપરા અને મૂલ્યોમાં વિકાસ
- વ્યક્તિગત અભ્યાસક્રમ
- શૈક્ષણિક શ્રેષ્ઠતા અને ચરિત્ર વિકાસ
જીવનનું પરિવર્તન
વિશ્વાસ અને પ્રયત્નથી નવા માર્ગ પર પ્રગતિ કરો!
કોઈ પણ બાળક એ સામાન્ય નથી હોતું. તેનામાં અસંખ્ય સંભાવનાઓ પડી હોય છે. જો બાળકને એક સારો માહોલ, સારો સંગ, સારૂં વાતાવરણ મળે અને સારી રીતે ખિલવણી કરવામાં આવે તો ભીતર પડેલી રહસ્યમય શકયતાઓ મુર્તિમંતરૂપે પ્રગટ થતી હોય છે.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શિક્ષાધામ દ્વારા ચાલતા બાલ સંસ્કાર સભામાં સંસ્કારના વારસાને આત્મસાત કરી, આપનું બાળક બાળપણથી જ શ્રેષ્ઠતાના પંથે કઠમ માંડશે એવી અમોને અટલશ્રદ્ધા છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શિક્ષાધામ દ્વારા ચાલતા બાલ સંસ્કાર સભામાં આજના આધુનિક સમયમાં ઉછરતા બાળકોને જીવન જીવવાની નવી દીશા મળશે અને આપે સેવેલ અરમાનો સિદ્ધ થશે.
બાળકોમાં સદાચારનું ઘડતર કરવા,કુટુંબ-સમાજ અને રાષ્ટ્રની એક મહત્વપૂર્ણ સેવા માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શિક્ષાધામ દ્વારા ચાલતા બાલ સંસ્કાર સભામાં આપના બાળકને અવશ્ય મોકલજો.

અમારું સ્થાન
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શિક્ષાધામ
કાલાવડ રોડ, દેવળા,
લોધીકા તાલુકો, રાજકોટ જિલ્લો,
ગુજરાત
Copyright © 2025 Shikshadham | Powered by SkyWebTech